વાસણા બેરેજથી પાણીનો પ્રવાહ બંધ કરાવીને ક્રેનની મદદથી કારને કાઢવામાં આવી
ત્રણેય યુવકોનાં મૃતદેહ મળ્યાં, પરિવારો આઘાતમાં
અમદાવાદઃ રીલ્સ બનાવવાના ચક્કરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં ફતેહવાડી કેનાલ પર એક એવી ઘટના બની છે જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા. જેમાં પહેલ યક્ષ ભંકોડિયા, યશ સોલંકી અને ક્રિશનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માહિતી અનુસાર યક્ષ જ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી.
બુધવારે સાંજે મૌલિક જાલેરાએ સ્ક્રોપિયો કાર સેલ્ફ ડ્રાઇવ કંપનીમાંથી ચાર કલાકના ભાડે લીધી હતી. જે કાર લઇને ઉદય વયાંતા (ન્યુ વાસણા), ધ્રુવ સોલંકી ( વેજલપુર) સાથે વાસણા ભાઠા કેનાલ રોડ પર આવ્યાં હતા. જ્યા અગાઉથી વિરાજસિંહ રાઠોડ ( પાલડી), યક્ષ વિક્રમ ભંકોડિયા (આંબાવાડી), યશ સોંલકી ( આંબાવાડી) અને ક્રિશ દવે (પાલડી) મિત્રો પણ હાજર હતા. ત્યારબાદ વાસણા બેરેજ રોડથી યક્ષ ભંકોડિયાએ કાર ચલાવીને થોડે દૂર ગયા બાદ યશ સોંલકીને ચલાવવા માટે આપી હતી. આ સમયે ક્રિશ પણ કારમાં બેઠો હતો. જોકે યશ સોલંકીને કાર ચલાવતા આવડતી ન હતી અને કાર સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી.
આ સમયે વિરાજસિંહ રાઠોડે રસ્સો નાખીને તમામને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરતુ, ત્રણ યુવકો પાણીમાં તણાય ગયા હતા.જેથી આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી. જેના આધારે વાસણા પોલીસ સ્ટેશનનો કાફલો અહીં દોડી આવ્યો હતો.સાથે સ્થાનિક તરવૈયાઓએ તપાસ કરી હતી. પરંતુ, કારમાં કોઇ હતું નહીં. બીજી તરફ પોલીસને પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે યુવકોએ રીલ્સ બનાવવા માટે કાર ભાડે લીધી હતી અને કેનાલ પર આવ્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસે તેમના પરિવારજનોને પણ સ્થળ પર બોલાવ્યાં હતા અને ફાયરબ્રિગેડની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ત્રણ યુવકોનાં મોત થઇ ગયા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/