ચૈતર વસાવાને ફટકો, ભરૂચ બેઠક પર ભાજપને ફાયદો થાય તેવા સમીકરણો ઉભા કરાયા, છોટુ વસાવાએ નાના પુત્રને ઉતાર્યા મેદાનમાં

12:01 PM Apr 10, 2024 | gujaratpost

ભરૂચ: 2024ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પર છોટુ વસાવા તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યો છે. ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ તેમના નાના પુત્રના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચમાં ભાજપે મનસુખ વસાવાને અને આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યાં છે. છોટુ વસાવા પોતે 2019ની ચૂંટણી લડ્યાં હતા અને તેમની હાર થઇ હતી.

છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઇ જતા તેઓ નારાજ છે.  ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે દિલીપ વસાવા 7 મે 2024 ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાંથી ઉમેદવાર હશે. વસાવાએ લખ્યું કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસંમતિથી તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યાં છે.

પાર્ટી પાસે ચાર ધારાસભ્યો છે

ભારત આદિવાસી પાર્ટીએ આદિવાસી પ્રભાવિત બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ચાર બેઠકો આદિવાસી સમૂદાય માટે અનામત છે. 2023માં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ત્રણ બેઠકો જીતી હતી અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં એક બેઠક જીતી હતી. 

ભરૂચ બેઠક ભાજપનો ગઢ

પાર્ટીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢની સાથે મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતની ભરૂચ બેઠક આદિવાસી પ્રભુત્વવાળી છે. આ બેઠક છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ પાસે છે. પાર્ટીના નેતા મનસુખ વસાવા છ વખત જીત્યા છે. પાર્ટીએ તેમને સાતમી વખત મેદાનમાં ઉતાર્યા છે. AAP આ સીટ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post