જો તમારી આંખોની રોશની નબળી પડી રહી છે તો આ શાકભાજીનો ઉપયોગ કરો, તે હૃદય રોગમાં પણ અસરકારક છે

10:01 AM Aug 06, 2024 | gujaratpost

લીલા શાકભાજીને લોકો ઉત્સાહથી ખાય છે. આખા વર્ષ દરમિયાન ખેડૂતો લીલા શાકભાજીની ખેતી કરે છે. તેમાં લીલી ડુંગળીની ખેતી કરવામાં આવે છે. દરેક ઘરમાં લીલી ડુંગળી વગર શાક બનતું નથી. આ લીલી ડુંગળીનો ઉપયોગ લગભગ તમામ શાકભાજીમાં થાય છે.

લીલી ડુંગળીમાં સલ્ફર, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર અને મેંગેનીઝ વગેરે મળી આવે છે. લીલી ડુંગળી ખાવાથી આંખોની રોશની પર પણ અસર પડે છે. તેનાથી આંખોના રેટિનામાં પિગમેન્ટ વધે છે, જે આંખોની રોશની સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

આ સિવાય એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર લીલી ડુંગળી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે, જે હ્રદય રોગનું જોખમ ઘટાડે છે.

આ આપણી ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવાની જગ્યાએ સુંદર બનાવે છે. લીલી ડુંગળીમાંથી મળતા વિટામિન ડીથી હાડકાંને મજબૂત બનાવી શકાય છે. તેનાથી સંધિવાથી પણ રાહત મળે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)