દારૂબંધીના કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યાં છેઃ શંકરસિંહ વાઘેલા
ગાંધીનગરઃ ગિફ્ટ સીટીમાં બિઝનેસના નામે ભૂપેન્દ્ર પટેલ સરકારે દારૂબંધીના કાયદાને હળવો કરી દીધો છે, હવે ગિફ્ટ સીટીમાં કર્મચારીઓ, મુલાકાતીઓ, માલિકો દારૂ પી શકશે, ત્યારે આ મામલે કોંગ્રેસે આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે, હવે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવી ગયા છે, બાપુએ કહ્યું કે દારૂબંધીનો દંભ છોડીને પુરા ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હટાવી દેવો જોઇએ.
બાપુએ એક નિવેદનમાં કહ્યું કે જો છૂટ આપવી હોય તો ગિફ્ટ સીટીમાં જ કેમ...આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઇએ, આ ભાજપ સરકારનો દંભ છે, તેમને ગિફ્ટ સીટીને લઇને કરેલા નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. સાથે જ બાપુએ ગુજરાતમાં ડ્રગ્સના વેંચાણને લઇને પણ ભાજપ સરકારને ઘેરી હતી.
અગાઉ પણ દારૂબંધીના કાયદાને લઇને શંકરસિંહ વાઘેલાએ સરકારની ઝાટકણી કાઢી હતી અને સરકારની નીતિઓને અયોગ્ય ગણાવી હતી, નોંધનિય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા રોજ દારૂ આવી રહ્યો છે અને વેચાઇ રહ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો