ગાંધીનગરના રાંધેજા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં 5 લોકોનાં મોત અને એકની હાલત ગંભીર
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઇ
ગાંધીનગરઃ રાંધેજા-પેથાપર હાઈવે પર ગત મોડી રાત્રે અકસ્માત સર્જાતા પાંચ લોકોના કમકમાટીભર્યાં મોત થઇ ગયા છે. ડ્રાઇવરે
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી.જેમાં 5 લોકોનાં મોત ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા હતા,અને એકની હાલત ગંભીર છે.એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
રોંગ સાઇડ પર ઝડપી કાર ચલાવી રહેલા કારચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારમાં 6 લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા, ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ તમામ પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોવા ગયા હતા. ઘરે પરત ફરતી વખતે તેઓની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર તમામ લોકો માણસાના વતની હતા. આ અકસ્માત અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોનાં નામ
મોહમ્મદ અલ્ફાઝ
સલમાન ચૌહાણ
ઇસવાક ચૌહાણ
મહંમદ બેલીમ
શાહીલ ચૌહાણ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો