ગાંધીનગરઃ નવરાત્રીમાં રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓને આનંદના સમાચાર મળી શકે છે, છેલ્લા ઘણા સમયથી આ કર્મચારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યાં છે અને હવે આગામી લોકસભા ચૂંટણી પહેલા જ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે.
હજારો કર્મચારીઓને મળી શકે છે પગાર વધારાની ભેટ
નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત
સૂત્રોથી માહિતી મળી છે કે નવરાત્રીમાં ફિક્સ પે પર કામ કરતા હજારો કર્મચારીઓના પગારમાં અંદાજે 2 થી 5 હજાર રૂપિયાનો પગાર વધારો થઇ શકે છે. જો સરકાર આ નિર્ણય કરશે તો હજારો કર્મચારીઓને તેનો ફાયદો થશે.
ભાજપ સરકાર આ માટે તૈયારીઓ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, ત્યારે દરેક વિભાગમાં કામ કરતા રાજ્ય સરકારના ફિક્સ પે કર્મચારીઓને થોડા જ દિવસોમાં મોટા સમાચાર મળી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો