ખજૂર પોષક તત્વોનો ભંડાર છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે ઘણી ગંભીર બીમારીઓ સામે લડવામાં મદદરૂપ બને છે. ખજૂર એવા ડ્રાય ફ્રુટ્સ છે જેનું સેવન કરવાથી તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો.
ખજૂર ખાવાના ફાયદા
- ઉર્જાનો સ્ત્રોતઃ ખજૂરમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, જે ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે. થાક અને નબળાઈને દૂર કરવામાં તે ખૂબ જ ફાયદાકારક છે.
- પાચનતંત્ર માટે ફાયદાકારકઃ ખજૂરમાં હાજર ફાઈબર પાચનક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે. તે કબજિયાત, અપચો જેવી સમસ્યાઓથી બચાવે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે.
- હાડકાંને મજબૂત કરે છેઃ ખજૂરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે હાડકાંને મજબૂત કરે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓથી બચાવે છે.
- હૃદય માટે સારુંઃ ખજૂરમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
ખજૂર ખાવાની સાચી રીત કઈ છે
ખજૂરને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી વધુ ફાયદો થાય છે. તમે ખજૂરને અન્ય ફળો સાથે મિક્સ કરીને અને સ્મૂધી બનાવીને પી શકો છો. મીઠાઈ બનાવવા માટે પણ ખજૂરનો ઉપયોગ કરી શકાય છે. દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.
આ લોકોએ સેવન ન કરવું જોઈએ
જો કે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી સ્થૂળતા અને બ્લડ સુગર વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ખજૂરનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. કેટલાક લોકોને ખજૂરથી એલર્જી થઈ શકે છે. તેથી જો ખજૂર ખાધા પછી તમને કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)