વડોદરા....મારી મંગેતર મારી સાથે વાત નથી કરતી....રિવોલ્વોરથી ગોળી મારીને આત્મહત્યા કરનારા યુવકના મોબાઇલમાં હતા આ શબ્દો

10:56 AM Mar 03, 2024 | gujaratpost

વડોદરાઃ નંદેસરી નજીકથી એક યુવકની લાશ મળી આવી હતી. તેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે સગાઈ પછી મંગેતર તેની સાથે બરાબર વાત કરી રહી ન હતી. જેના કારણે તેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિત તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના નાપાડ ગામનો 23 વર્ષીય સમીર રાઠોડ વડોદરાના કોયલી ગામમાં તેના મામા સાથે રહેતો હતો. તેમની સાથે ગેટ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તે ગુરુવારે અચાનક ગુમ થઈ ગયો હતો. જે બાદ શુક્રવારે નંદેસરી જીઆઈડીસી પાસે એક લાશ મળી આવી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને  મૃતદેહનો કબ્જો લીધો હતો, પાસેથી એક રિવોલ્વર મળી આવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ આત્મહત્યાનો મામલો છે. આ પછી પોલીસે યુવકના પરિવારજનોને બોલાવીને પૂછપરછ કરી હતી. સમીરનો મોબાઈલ પણ ચેક કર્યો હતો.

Trending :

પોલીસના જણાવ્યાં અનુસાર સમીરની સગાઈ 5 દિવસ પહેલા થઈ હતી.પરંતુ તેની મંગેતર તેની સાથે વાત કરતી ન હતી. યુવકે આ વાત તેના મિત્રને ચેટમાં કહી હતી. આ કારણોસર તેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું તારણ છે. વડોદરાના જવાહરનગર પોલીસે આ મામલે FIR નોંધી તપાસ હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post