વધુ એક દુષ્કર્મ...વડોદરામાં ધોરણ-12 ની માસૂમ વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનાથી હડકંપ

06:45 PM Oct 11, 2024 | gujaratpost

વિદ્યાર્થિની 4 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર વાજીદશાના સંપર્કમાં આવી હતી

બાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી

વડોદરાઃ રાજ્યમાં બળાત્કારની ઘટનાઓએ સૌ કોઇની હચમચાવી નાખ્યાં છે.વડોદરામાં ગેંગરેપ કેસમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે, આ કેસની તપાસ થઇ રહી છે, ત્યા બળાત્કારનો વધુ એક કેસ સામે આવ્યો છે. ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે વિધર્મીએ બળાત્કાર કર્યો છે.

સગીરા વડોદરાના માંજલપુરમાં ગરબા રમવા ગઇ હતી તે દરમિયાન તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દીવાન સામે પોલીસમાં ફરિયાદ કરી છે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

18 વર્ષના વિધર્મી નરાધમનું કૃત્ય, મિત્રના ઘરે લઇ જઇને બે વખત આચર્યુંં દુષ્કર્મ

ફરિયાદ મુજબ આરોપી સગીરાને સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા દબાણ કરતો હતો અને ગરબાના મેદાનમાં તેને એકલી મુકતો ન હતો, બાદમાં તેને બળાત્કાર ગુજાર્યો હતો. નોંધનિય છે ગુજરાતમાં વડોદરા, માંગરોળ સહિતની જગ્યાએ થોડા જ દિવસોમાં બળાત્કારની અનેક ઘટનાઓ બની છે, રાજ્ય સરકારની કામગીરી સામે હવે સવાલ ઉભા થઇ રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526