નવી દિલ્હીઃ બજેટ સત્રના વ્યવસ્થિત સંચાલન માટે મોદી સરકાર દ્વારા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં સરકાર વતી રાજ્યસભાના પક્ષના નેતા જેપી નડ્ડા, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત 44 પક્ષોના 55 નેતાઓએ ભાગ લીધો હતો.
સંસદમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, આ (NEET) એક પ્રણાલીગત મુદ્દો છે, તેથી તમે આ મુદ્દાને ઠીક કરવા માટે શું કરી રહ્યા છો ? ફક્ત જૂઠ અને સત્યની બૂમો પાડો છો, આખા દેશને સ્પષ્ટ છે કે આપણી પરીક્ષા પ્રણાલીમાં માત્ર NEETમાં જ નહીં પરંતુ તમામ મોટી પરીક્ષાઓમાં ગંભીર સમસ્યાઓ છે. સામે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું દેશની પરીક્ષા પદ્ધતિ બકવાસ હોવાનું વિપક્ષી નેતાનું નિવેદન અત્યંત નિંદનીય છે. અમે વિદ્યાર્થીઓના હિતમાં જ કામ કરી રહ્યાં છીએ.
#WATCH | Congress MP and LoP in Lok Sabha Rahul Gandhi says "It is obvious to the whole country that there is a very serious problem in our examination system, not just in NEET but in all the major examinations. The minister (Dharmendra Pradhan) has blamed everybody except… pic.twitter.com/ccclExwRTI
— ANI (@ANI) July 22, 2024
NEET પરીક્ષા મુદ્દે સંસદમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, આ સરકાર પેપર લીકનો રેકોર્ડ બનાવશે. કેટલાક કેન્દ્રો એવા છે જ્યાં 2,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યાં સુધી આ મંત્રી (શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન) છે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે. NEET પેપર લીક મુદ્દે વિપક્ષને જવાબ આપતાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે.
સંસદનું સત્ર શરૂ થતાંની સાથે જ NEET પેપર લીક મુદ્દે પાર્ટી અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે NEET પરીક્ષાના કેસમાં પેપર લીકના કોઈ સ્પષ્ટ પુરાવા સામે આવ્યાં નથી. શિક્ષણ મંત્રીના આ નિવેદન પર વિપક્ષી નેતાઓએ હોબાળો શરૂ કર્યો હતો.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, પરીક્ષા વ્યવસ્થામાં ગરબડ થઈ છે. પેપર લીક એ ગંભીર મુદ્દો છે. આ માત્ર NEET માટે જ નહીં, પરંતુ તમામ પરીક્ષાઓ માટેનો પ્રશ્ન છે. રાહુલ ગાંધીના નિવેદન પર શિક્ષણ મંત્રીએ કહ્યું કે મારે કોઈ પાસેથી પ્રમાણપત્ર નથી જોઈતું.
PM નરેન્દ્ર મોદીએ ચોમાસુ સત્ર પહેલા મીડિયાને સંબોધિત કર્યું હતુ, તેમણે કહ્યું કે, આજે સાવનનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને સાવનનાં પહેલા સોમવારની શુભકામનાઓ પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે આખા દેશની નજર તેના પર છે. આ સકારાત્મક સત્ર હોવું જોઈએ.
સંસદના સુચારૂ સંચાલન પર ભાર મુકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું દેશના તમામ સાંસદોને વિનંતી કરવા માંગુ છું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આપણે જેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો તેટલો સંઘર્ષ કર્યો છે, પરંતુ હવે તે તબક્કો પૂરો થઈ ગયો છે, લોકોએ પોતાનો નિર્ણય આપ્યો છે.
#WATCH | PM Narendra Modi says, "...I would like to request all the MPs of the country that from January till now we have fought as much as we had to, but now that period is over, the public has given its verdict. I would like to ask all the parties to rise above party lines and… pic.twitter.com/AVXzl0QDz2
— ANI (@ANI) July 22, 2024
હું તમામ પક્ષોને પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને દેશને સમર્પિત કરવા અને આગામી 4.5 વર્ષ સુધી સંસદના આ પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરવા કહેવા માંગુ છું. જાન્યુઆરી 2029 ના ચૂંટણી વર્ષમાં તમે જે પણ રમત રમો, ત્યાં સુધી આપણે ખેડૂતો, યુવાનો અને દેશના સશક્તિકરણ માટે ભાગ લેવો જોઈએ. આ ગર્વની વાત છે કે 60 વર્ષ બાદ કોઈ સરકાર ત્રીજી વખત સત્તામાં આવી છે. ત્રીજી વખત પ્રથમ બજેટ રજૂ કરશે. હું દેશના લોકોને ગેરંટી આપતો રહ્યો છું અને અમારું મિશન તેને જમીન પર લાગુ કરવાનું છે.
પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ અમૃત કાલ માટે મહત્વપૂર્ણ બજેટ છે. આજનું બજેટ આપણા કાર્યકાળના આગામી 5 વર્ષની દિશા નક્કી કરશે. આ બજેટ વિકસિત ભારતના આપણા સપનાનો મજબૂત પાયો પણ બનશે.
#WATCH | Prime Minister Narendra Modi says "...It is a matter of pride that after 60 years, a government has come to power for the third time and will present the first Budget for the third time...I have been giving guarantees to the people of the country and our mission is to… pic.twitter.com/zw0URmCDdl
— ANI (@ANI) July 22, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/