+

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી

ઉત્તરાખંડઃ કેદારનાથ ધામના દરવાજા 2 મે (શુક્રવાર) થી ભક્તો માટે ખોલી નાખવામાં આવ્યાં છે. પહેલા દિવસે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન ભોલેનાથના દર્શન કર્

ઉત્તરાખંડઃ કેદારનાથ ધામના દરવાજા 2 મે (શુક્રવાર) થી ભક્તો માટે ખોલી નાખવામાં આવ્યાં છે. પહેલા દિવસે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા અને પહેલા દિવસે અહીં પહોંચેલા ભક્તોને પણ મળ્યાં હતા. ધામના દરવાજા ખુલતા પહેલા પુષ્કર સિંહ ધામી શ્રી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે પહેલા દિવસે દર્શન માટે અહીં હાજર ભક્તો સાથે વાતચીત કરી હતી. દર વર્ષે શિયાળાની ઋતુમાં બરફવર્ષાને કારણે કેદારનાથ ધામના દરવાજા બંધ થઈ જાય છે અને ઉનાળામાં ફરીથી દરવાજા ખોલવામાં આવે છે.

શિયાળા દરમિયાન છ મહિના બંધ રહ્યાં બાદ શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ફરીથી ખોલવામાં આવ્યાં હતા અને આ પ્રસંગે આ હિમાલયી મંદિરને ભારત અને વિદેશથી લાવવામાં આવેલા 108 ક્વિન્ટલ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. શ્રી કેદારનાથ ધામના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તો પર ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો.

મંદિરને સજાવવા માટે 150 થી વધુ સ્વયંસેવકોએ દિવસ-રાત કામ કર્યું હતું અને તેમાંથી દરેક ભગવાન શિવની સેવા કરવાની તક મેળવીને ધન્યતા અનુભવે છે. કેદારનાથ ધામ રુદ્રપ્રયાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી 11000 ફૂટથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. વડોદરાના રહેવાસી શ્રીજલ વ્યાસ, જે મંદિરને સજાવવામાં રોકાયેલા સ્વયંસેવકોની ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે, તેમણે જણાવ્યું કે શણગાર માટે ગુલાબ અને ગલગોટા સહિત 54 પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ફૂલો નેપાળ, થાઇલેન્ડ, શ્રીલંકા ઉપરાંત દિલ્હી, કાશ્મીર, પુણે, કોલકાતા અને પટનાથી લાવવામાં આવ્યાં છે. ગલગોટાના ફૂલો ખાસ કરીને કોલકાતાના એક ચોક્કસ ગામથી લાવવામાં આવે છે, કારણ કે સ્થાનિક જાતોથી વિપરીત, આ ફૂલો ઝડપથી સુકાતા નથી અને સરેરાશ 10-15 દિવસ સુધી તાજા રહે છે.

શ્રી કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારે ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સના બેન્ડે ભક્તિમય ધૂન વગાડી હતી. મંદિરને સજાવવા આવેલા ભક્તોએ કહ્યું, અમને અહીં આવતા ખૂબ જ તકલીફ પડી. અમારી ટ્રેન રદ કરવામાં આવી હતી અને અમારામાંથી ઘણાને વિમાન દ્વારા આવવું પડ્યું. ઘોડાઓની ગેરહાજરીમાં મંદિરને સજાવવા માટે આટલી ઊંચાઈએ ફૂલો લાવવામાં અમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પણ અમે બધા આપણા ભગવાનની સેવા કરવાની તક મેળવીને ખૂબ ખુશ છીએ. તેમની ટીમના અન્ય સભ્યોએ પણ આવી જ લાગણીઓ વ્યક્ત કરી હતી.

બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય થાપલિયાલે જણાવ્યું કે આ વખતે ભક્તોને કેદારનાથમાં કંઈક નવું જોવા મળશે. કાશી, હરિદ્વાર અને ઋષિકેશમાં થતી ગંગા આરતીની જેમ આ વખતે મંદિરના કિનારે મંદાકિની અને સરસ્વતીના સંગમ પર ભવ્ય આરતી શરૂ કરવામાં આવશે. આરતી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બે નદીઓના સંગમની ત્રણ બાજુ રેમ્પ બનાવવામાં આવ્યા છે જેથી ભક્તો તેના દર્શન કરી શકે. મંદિરની સામે આવેલી નંદીની પ્રતિમા અને મંદિરની નજીક બનેલી આદિ શંકરાચાર્યની પ્રતિમાને પણ આ વખતે ફૂલોથી શણગારવામાં આવી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter