+

સુરતમાં વિદ્યાર્થીએ સ્કૂલેથી ઘરે આવીને ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન થયું મોત- Gujarat Post

(demo pic) સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુણાગામ વિસ્તારમાં સ્કૂલેથી ઘરે આવીને ધો.9ના વિદ્યાર્થીએ અનાજમાં નાંખવાની દવા ગટગટાવી લેતાં તેનું મોત થયું હતું. જેને કારણે પરિવારજનો શો

(demo pic)

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુણાગામ વિસ્તારમાં સ્કૂલેથી ઘરે આવીને ધો.9ના વિદ્યાર્થીએ અનાજમાં નાંખવાની દવા ગટગટાવી લેતાં તેનું મોત થયું હતું. જેને કારણે પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે વિદ્યાર્થીએ આ પગલું કેમ ભર્યું છે તેનું કારણ જાણી શકાયું નથી.

મૂળ અમરેલીના વતની કીર્તનકુમાર ભનુભાઈ માવલીયા (ઉ.વ.14) પરિવાર સાથે પુણા ગામ સ્થિત મારૂતિધામ સોસાયટીમાં રહેતો હતો. સ્થાનિક વિસ્તારમાં આવેલી શાળામાં ધો.9માં અભ્યાસ કરતો હતો. દરમિયાન શનિવારે સાંજે સ્કૂલેથી ઘરે આવેલા કીર્તનકુમારને અચાનક ઉલટી થતાં પરિવારના સભ્યો તેની પાસે દોડી આવ્યાં હતા. ત્યારે તેણે સ્કૂલેથી ઘરે આવીને અનાજમાં નાંખવાની દવા પી લીધી હોવાનું કહેતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.જો કે તબીબી તેને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter