+

સુરતના જહાંગીરપુરામાં પરિવારના 4 લોકોના મોતથી સનસની, પોલીસ કાફલો સ્થળ પર- Gujarat Post

રાત્રે ભોજન કર્યા બાદ 4 વૃદ્ધો સૂઈ ગયા હતા સવારે સ્વજન નાસ્તો આપવા આવ્યાં ત્યારે દરવાજો ન ખુલ્યો   ગેસ ગિઝર પણ ચાલુ હતુ સુરતઃ શહેરમાં એક જ પરિવારના ચાર લોકોના મોતથી સનસની મચી ગઇ છે. જહાં

રાત્રે ભોજન કર્યા બાદ 4 વૃદ્ધો સૂઈ ગયા હતા

સવારે સ્વજન નાસ્તો આપવા આવ્યાં ત્યારે દરવાજો ન ખુલ્યો  

ગેસ ગિઝર પણ ચાલુ હતુ

સુરતઃ શહેરમાં એક જ પરિવારના ચાર લોકોના મોતથી સનસની મચી ગઇ છે. જહાંગીરપુરાના રાજહંસ રેસીડેન્સીમાં આ ઘટના બની છે. ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.

સુરતના જહાંગીરપુરા-મોરાભાગળના 4 લોકોનાં મોત થયા છે. તે આપઘાત છે કે ગેસ ગિઝરને કારણે આવું થયું છે તે તપાસનો વિષય છે. રાત્રે ભોજન કર્યા બાદ ચારેય વૃદ્ધો સૂઈ ગયા હતા. સવારે સ્વજન નાસ્તો આપવા આવ્યાં ત્યારે દરવાજો ન ખોલતાં પોસીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યોની પૂછપરછ થઇ રહી છે.

મૃતકોમાં ત્રણ સગી બહેનો અને એક પુરૂષ  

1.હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા-55 વર્ષ

2.જસુબેન કેશુભાઈ વાઢેર -55 વર્ષ

3.ગૌરીબેન હીરાભાઈ મેવાડા-57

4.શાંતાબેન નાનજીભાઈ વાઢેર -56

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter