યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ
મૃતકના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે
રાજકોટઃ હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગઈકાલે વિરમગામના પીએસઆઈનું 45 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન થયું હતું. આ ઘટના તાજી છે ત્યાં જ રાજકોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થતાં ચકચાર મચી છે.મળતી વિગતો પ્રમાણે મૂળ સુરતના અને રાજકોટમાં રહીને અભ્યાસ કરતા કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કલ્પેશ પ્રજાપતિ VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા હતા.
હાર્ટએટેકના અનેક બનાવો આવ્યાં છે સામે
ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકનું વધી રહ્યું છે પ્રમાણ
ગઈકાલે સાંજે કોલેજથી છૂટ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાનના પિતા વ્યારાના બાજીપુરા ગામમા કરિયાણાની દુકાન ચલાવે છે. કલ્પેશ પ્રજાપતિના પરિવારમાં માતા પિતા અને એક મોટા બહેન છે. યુવકના અચાનક મોતથી કોલેજમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો