રાહુલ ગાંધીએ ચીન મામલે નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા

02:41 PM Feb 02, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રમાં ભારે હોબાળો થયો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી બૂમાબૂમ થઇ ગઇ હતી. રાહુલ ગાંધીએ પૂર્વ ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેના એક મેગેઝિનનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે ચીની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહી હતી. આ નિવેદનથી ગૃહમાં હોબાળો મચી ગયો હતો. રાહુલ ગાંધીના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે.

આ વિવાદ કેમ ઉભો થયો ?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ગૃહમાં પ્રકાશિત એક મેગેઝિનનો ઉલ્લેખ કરવા સામે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વાંધો ઉઠાવ્યો હતો, જે ગૃહના નિયમોની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનો સ્ત્રોત અધિકૃત છે, તેમાં ભૂતપૂર્વ આર્મી જનરલ (એમએમ નરવણે) ના અપ્રકાશિત સંસ્મરણોના અવતરણોનો સમાવેશ થાય છે. એમએમ નરવણેના અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ કહ્યું કે ચીની સેનાના ટેન્ક ભારતીય સરહદની નજીક આવ્યાં હતા અને ચીની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી. ચાર ચીની ટેન્ક ભારતીય સરહદમાં પ્રવેશી રહ્યાં હતા. ચીની સેનાના ટેન્ક કૈલાશ પર્વત પર ચઢી રહ્યાં હતા.

રાહુલ ગાંધીના નિવેદન પર રાજનાથ સિંહે સખત વાંધો ઉઠાવ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીના નિવેદન પર સખત વાંધો ઉઠાવ્યો, કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદને ગેરમાર્ગે ન દોરે છે. હું ઈચ્છું છું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા (રાહુલ ગાંધી) ગૃહ સમક્ષ તે પુસ્તક રજૂ કરે જેનો તેઓ ઉલ્લેખ કરી રહ્યાં છે, કારણ કે તેઓ જે પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યાં છે તે પ્રકાશિત થયું નથી. રાજનાથ સિંહે લોકસભા સ્પીકરને વિનંતી કરી કે રાહુલ ગાંધીને ગૃહમાં તથ્યો વિના બોલવાની મંજૂરી ન આપવામાં આવે.

અમિત શાહે શું કહ્યું ?

સંસદના બજેટ સત્ર દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને ત્યારે અટકાવ્યાં જ્યારે તેમણે લોકસભામાં ચીનનો મુદ્દો ઉઠાવ્યો, જ્યારે તેમણે ભૂતપૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત મેગેઝિનનો ઉલ્લેખ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પ્રમાણિકતા વિનાની વાત ન કરે.