+

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો, સામે તાલિબાને 55 સૈનિકોને મારી નાખ્યાં

ઇસ્લામાબાદઃ ગુરુવારે મધ્ય રાત્રિએ પાકિસ્તાને અફઘાન લશ્કરી સ્થળો પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે સરહદ પર તીવ્ર અથડામણ થઈ. જવાબમાં અફઘાનિસ્તાને 55 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યાનો દાવો છે. તાલિ

ઇસ્લામાબાદઃ ગુરુવારે મધ્ય રાત્રિએ પાકિસ્તાને અફઘાન લશ્કરી સ્થળો પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે સરહદ પર તીવ્ર અથડામણ થઈ. જવાબમાં અફઘાનિસ્તાને 55 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યાનો દાવો છે. તાલિબાનોએ 15 થી વધુ પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવવાનો પણ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તેમણે ઘણા પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર કબ્જો કર્યો છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું છે, આરોપ લગાવ્યો છે કે તાલિબાને અફઘાનિસ્તાનને ભારત માટે પ્રોક્સી બનાવ્યું છે. તાલિબાનના વળતા હુમલાથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ આ નિવેદન બહાર પાડ્યું હતું.

તાલિબાનના વળતા હુમલાથી પાકિસ્તાનમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ X પર લખ્યું, પાકિસ્તાન શાંતિ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કરશે નહીં. આપણા સશસ્ત્ર દળોનો પ્રતિભાવ વ્યાપક અને નિર્ણાયક છે. જે લોકો આપણી શાંતિને નબળાઈ સમજે છે તેમને કડક જવાબ આપવામાં આવશે, અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. - રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી

તાલિબાનના બદલાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, ગૃહમંત્રી મોહસીન નકવીએ નિવેદન બહાર પાડ્યું

પાકિસ્તાનના હુમલા બાદ, અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે જોરદાર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના કેન્દ્રીય ગૃહમંત્રી મોહસીન નકવીએ પોતે આના પુરાવા આપ્યાં છે. તેમણે કહ્યું, અફઘાન તાલિબાન શાસન દ્વારા પાકિસ્તાનની નાગરિક વસ્તીને નિશાન બનાવવાની અમે સખત નિંદા કરીએ છીએ. પાકિસ્તાનના સશસ્ત્ર દળોએ અફઘાન તાલિબાનના ખુલ્લા આક્રમણને કચડી નાખતા નિર્ણાયક જવાબ આપ્યો છે. કાયર દુશ્મને રાત્રિના અંધારામાં હુમલો કર્યો. અફઘાન તાલિબાને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો.

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર બદલો લેવાના હુમલાનો વીડિયો શેર કર્યો

અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે XX ના રોજ પાકિસ્તાન પર બદલો લેવાના હુમલાનો વીડિયો શેર કર્યો. તેમાં લખ્યું છે, જ્યારે તમે (ઓ મુહમ્મદ) ફેંક્યો, ત્યારે તમે ફેંક્યા નહીં, પરંતુ અલ્લાહે ફેંક્યો. (આ શ્લોક બદ્રના યુદ્ધના સંદર્ભમાં છે.જ્યારે પયગંબર સાહેબે કાદવ ફેંક્યો હતો, ત્યારે વિજય અલ્લાહને આભારી છે. તેનો ઉપયોગ ઘણીવાર એ દર્શાવવા માટે થાય છે કે સફળતા અથવા વિજય ખરેખર અલ્લાહની મદદને કારણે છે, ફક્ત માનવ પ્રયત્નોને કારણે નહીં.)

તાલિબાને જણાવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી સરકારના સતત આક્રમણના જવાબમાં ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર   હુમલો કરવામાં આવ્યો હતો. હે અલ્લાહ ! આ હુમલા સચોટ બનાવો અને જુલમીઓ પર વિજય અપાવો.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલામાં કોઈનું મોત થયું નથી: તાલિબાન પ્રવક્તા

ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પોસ્ટ કરી છે, કાયર પાકિસ્તાની સેનાએ કાબુલ, કંદહાર અને પક્તિયાના કેટલાક વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે. સદનસીબે, કોઈ જાનહાનિના અહેવાલ નથી, અમે જડબાતોડ જવાબ આપી રહ્યાં છીએ.

facebook twitter