+

કોલકત્તામાં 35,000 લોકો સાથે પીએમ મોદીએ યોગ કર્યા, વિજયવાડામાં પણ એક મોટો કાર્યક્રમ યોજાયો

કોલકત્તાઃ આજે દુનિયા 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે, દુનિયાભરમાં લાખો લોકો યોગ કરી રહ્યાં છે. પીએમ મોદીએ કોલકત્તાના રેડ રોડ ખાતે એક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યા

કોલકત્તાઃ આજે દુનિયા 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે, દુનિયાભરમાં લાખો લોકો યોગ કરી રહ્યાં છે. પીએમ મોદીએ કોલકત્તાના રેડ રોડ ખાતે એક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ 35,000 લોકો સાથે યોગ કર્યા હતા. પ્રાણાયામથી લઈને ધ્યાન સુધીના અભ્યાસ દ્વારા, તેઓ રોગમુક્ત વિશ્વનો સંદેશ આપ્યો હતો. દર વર્ષે યોગ દિવસે, પીએમ મોદી વ્યક્તિગત રીતે જનતા સાથે યોગનો અભ્યાસ કરે છે. કોલકત્તામાં આયોજિત આ કાર્યક્રમમાં 35,000 થી વધુ લોકો ભાગ લીધો હતો. 

પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદીએ દરેકને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બંગાળમાં હોવું એ એક સૌભાગ્યની વાત છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રવિન્દ્રનાથ ટાગોરને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. યોગ કોઈ ચોક્કસ વય જૂથ સુધી મર્યાદિત નથી. તે માનવ જીવનમાં પ્રકાશ, ઉર્જા અને ચેતનાનો સ્ત્રોત રજૂ કરે છે.

પીએમ મોદીએ લોકોને પ્રતિજ્ઞા લેવડાવી

પીએમ મોદીએ દરેકને યોગને ફક્ત એક દિવસ કે ઘટના પૂરતો મર્યાદિત ન રાખવાનો, પરંતુ તેને પોતાના જીવન અને પરિવારનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ કરવા વિનંતી કરી હતી. આ વર્ષે યોગ 100 દિવસના ઓનલાઈન યોગ કાર્યક્રમના આયોજન સાથે આગળ વધારવામાં આવ્યાં છે.

વિશ્વના સારા ભવિષ્ય માટે યોગ જરૂરી છે - પીએમ મોદી

મોદીએ કહ્યું કે જ્યારે આપણે આપણા શરીરનું યોગ્ય રીતે સંચાલન કરવાનું શીખીએ છીએ, ત્યારે તે સ્વસ્થ રહે છે. યોગ આપણને શીખવે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તે વિશ્વના સારા ભવિષ્ય માટે પણ એક આવશ્યકતા છે.

યોગે સમગ્ર વિશ્વને એક કર્યું છે - પીએમ મોદી

પીએમ મોદીએ જણાવ્યું કે યોગે સમગ્ર વિશ્વને એક કરવાનું કામ કર્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ કોલકત્તા વહીવટીતંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો. આ વર્ષની થીમ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું તે તમામ વય જૂથોના લોકો માટે સુસંગત છે. સંતુલિત આહાર અને યોગનો અભ્યાસ તમામ પ્રકારના દુઃખને દૂર કરે છે.

વિજયવાડામાં યોગ કરતા બાબા રામદેવ

12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ ગુરુ સ્વામી રામદેવ આંધ્રપ્રદેશના વિજયવાડામાં છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પણ સ્વામી રામદેવ સાથે યોગ કર્યા હતા. વિશ્વભરના ઘરોમાં યોગને લઈ જનારા સ્વામી રામદેવે આ 12મા યોગ દિવસે દરેકને યોગ દ્વારા સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો.

કોલકત્તામાં 10 લાખ લોકોએ યોગ કર્યા

યોગ દિવસ નિમિત્તે કોલકાતાના વિવિધ ભાગોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શહેરમાં 10 લાખ લોકો યોગ કરશે. આજે કોલકત્તામાં ચાર સ્થળોએ રન ફોર યોગા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10,000 લોકો ભાગ લઇ લેશે.

યોગ દિવસ પર સેનાના જવાનોએ દ્રાસના બરફાચ્છાદિત હિમાલયના શિખરોથી લઈને બંગાળની ખાડીમાં સબમરીનના આંતરિક ભાગ સુધીના સ્થળોએ યોગ કર્યા હતા. મુંબઈમાં મુસ્લિમ સમુદાયના સભ્યો પણ યોગ કરતા જોવા મળ્યા, જ્યારે કોલકત્તામાં ડ્રોન દ્વારા યોગ મુદ્રાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Trending :
facebook twitter