IND vs PAK: ચાહકો T- 20 વર્લ્ડકપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. આ મેચ દરમિયાન પાકિસ્તાની ટીમે ઘણો ડ્રામા જોયો. જેમાં પહેલા તેઓએ આ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ICC દ્વારા ઠપકો આપ્યાં બાદ તેઓ મેચ રમવા માટે સંમત થયા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી, જેને જોવા માટે PCBના વડા મોહસીન નકવી પણ કોલંબો પહોંચ્યા હતા. પરંતુ મેચમાં પાકિસ્તાની ટીમે ટીમ ઈન્ડિયા સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું શરૂ કરતાં જ ટ્રોફી ચોર નકવી ચોરની જેમ ચોરીછૂપીથી મેદાનમાંથી ભાગી ગયો.
નવાઝની વિકેટ અને નકવીનું સ્ટેડિયમમાંથી ગાયબ થવું
પાકિસ્તાન સામેની આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યાં. ઇશાન કિશનની 77 રનની ઇનિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને પ્રથમ બે ઓવરમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે મેચ બચાવવાનું મુશ્કેલ બન્યું હતું. પાકિસ્તાની ઇનિંગ્સની 12મી ઓવરના ચોથા બોલ પર જ્યારે કુલદીપ યાદવે મોહમ્મદ નવાઝને પેવેલિયન પરત મોકલ્યો, ત્યારે PCBના વડા મોહસીન નકવી પણ સ્ટેડિયમ છોડીને ચાલ્યો ગયો. સમાચાર એજન્સીએ નકવીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાની કારમાં સ્ટેડિયમમાંથી ભાગી રહ્યો હતો, જ્યાં તે મેચ સમાપ્ત થાય તે પહેલાં શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
પાકિસ્તાની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જવાની સંભાવનાનો સામનો કરી રહી છે
આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાની ટીમનો 61 રનથી પરાજય થયો છે જેની સૌથી વધુ અસર તેમના નેટ રન રેટ પર પડી છે. ભારતીય ટીમે આ જીત સાથે સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે પાકિસ્તાની ટીમ હવે ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
જેમાં યુએસએ ટીમ બીજા સ્થાને છે, જેમના પણ ચાર પોઈન્ટ છે, પરંતુ યુએસએનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા ઘણો સારો છે. જો પાકિસ્તાની ટીમ નામિબિયા સામેની તેની આગામી મેચમાં હારનો સામનો કરે છે, તો તેની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ જશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++