ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા

10:35 AM Dec 02, 2023 | gujaratpost

ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો

મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ

2 વ્યક્તિઓની હાલત હજુ પણ ગંભીર

ખેડાઃ સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે. આ કેસમાં  મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ બે હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ખેડામાં વધુ એક વ્યક્તિને નશીલી સિરપ પીવાથી અસર થઇ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો છે. નશીલા સિરપકાંડ મામલે 6 વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના કરાઇ છે અનેક ગામોમાં આ મામલે તપાસ હાથ ધરાઇ છે.

પોસ્ટમોર્ટમ ન કરવા બદલ બે હોસ્પિટલોને નોટિસ પણ અપાઇ છે. પોલીસે સિરપ લેનાર વ્યક્તિઓનું લિસ્ટ બનાવી તપાસ હાથ ધરી છે. જેમાં બિલોદરા ગામના અમિત સોઢા અને સાંકળ સોઢાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આયુર્વેદિક સિરપને કારણે 6 લોકોનાં મોત બાદ પોલીસે આ સિરપ વેચનારા અનેક શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. ખેડા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post