અમદાવાદઃ ઈન્કમટેક્સ વિભાગે શહેરના જાણીતા દીપ અને કામેશ્વર બિલ્ડરને ત્યાં થોડા દિવસ પહેલા દરોડા પાડ્યાં હતા. જેમાં મોટા બેનામી વ્યવહારો અને અંદાજે 17 કરોડ રૂપિયાની રોકડ, 35 કરોડ રૂપિયાના દાગીના મળી આવ્યાં હતા. ઈન્કમટેક્સ વિભાગે 50 લોકર ચેક કર્યા અને તેમાંથી ઘણી વસ્તુઓ મળી આવી છે.
ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 50 લોકરમાંથી પ્રાપ્ત દસ્તાવેજોનું એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજોમાં બેનામી મિલકતોના કારોબાર અને રોકડની લેવડ-દેવડની વિગતો સામે આવી છે, અત્યાર સુધી મળેલા દસ્તાવેજો પરથી બેનામી વ્યવહારનો આંકડો વધી શકે છે.
હજુ 10 લોકરો ઓપરેટ કરવાના બાકી છે, તે કામગીરી પૂર્ણ થયા બાદ વધુ મોટી રોકડ રકમ અને સોનાના દાગીના મળવાની શક્યતા છે. આ તપાસના પરિણામે બિલ્ડરોની બેનામી વ્યવહારોની વિગતો બહાર આવશે. આઇટીની આ કાર્યવાહી બાદ આ ગ્રુપો સાથે સંકળાયેલા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.