ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે

01:57 PM Feb 02, 2025 | gujaratpost

  • આજે સાંજથી બુકિંગ શરૂ થશે
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાથી દોડશે બસ

અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે. આ માટે સરકારે થોડા સમય પહેલા વોલ્વો બસ શરૂ કરી હતી. જોકે ગણતરીના મિનિટોમાં જ તમામ બુકિંગ ફૂલ થઈ ગયું હતું. ગુજરાતીઓના ધસારાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે પ્રયાગરાજ સુધીની 5 બસો શરૂ કરવાનો ફેંસલો કર્યો હતો. હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તા ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે. 

સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામાં આવશે. શરુ થનાર નવીન તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. 

 

પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવ્યું છે. આ નવી બસ નુંઓનલાઇન બુકિંગ આજ તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૫  કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ //gsrtc.in પરથી થઇ શકશે.