સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે લીધો મહત્વનો નિર્ણય
કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો સરકાર પરિવારને અપાશે રૂ.14 લાખની સહાય
વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને મળશે લાભ
ગાંધીનગરઃ રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. કરાર આધારિત કોઇ કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો કર્મચારીના પરિવારને રૂ.14 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ફરજના સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-4 ના ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારને નાણાંકીય સહાય આપવામાં આવશે.
સરકારના જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂંક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તા-12/10/2023 કે ત્યાર બાદ થયેલા અવસાનના કિસ્સામાં જે તે મૃતકના પરિવારને રૂ.14 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવાની રહેશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો