વિસાવદરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતા અને હવે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને પછી રાજીનામું આપી દીધું હતુ.
ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 સીટો મળી હતી. જેમાં એક વિસાવદરની બેઠક પણ હતી. અહીંથી ભૂપત ભાયણી ચૂંટાયા હતા.
ભૂપત ભાયાણીને આપ પાર્ટીનો એક મજબૂત ચહેરો માનવામાં આવતો હતો. સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રીબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યાં હતા.ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યાં છે.
ભાયાણી ઉપરાંત બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યાં હોવાની ચર્ચા છે. અરવલ્લી બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર હોવાની ચર્ચા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો