ગાંધીનગર: રાજ્યના ન્યાયતંત્ર અંગે મહત્વનું પગલું ભરતા, ગુજરાત સરકારે સોમવારે જાહેર હિતમાં પાંચ ન્યાયાધીશને તાત્કાલિક અસરથી વય અગાઉ (ફરજિયાત) નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ભલામણ અનુસાર જારી કરવામાં આવેલા આ આદેશની રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
જે ન્યાયાધીશો ને સમય પહેલા નિવૃત્ત કરવામાં આવ્યા છે તેમના નામ નીચે મુજબ છે:
- પ્રથમશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, મોરબી
- પ્રશાંત વિનોદરાય જોશી, પ્રિન્સિપલ જજ, ફેમિલી કોર્ટ, મોરબી
- મોહમ્મદ ઈલિયાસ ફરીદભાઈ માંડલી, પ્રિન્સિપલ જજ, ફેમિલી કોર્ટ, પોરબંદર
- અલીહુસૈન એમ. શેખ, ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, રાજકોટ (ધોરાજી)
- કીર્તિકુમાર જયંતિલાલ દરજી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, અરવલ્લી (મોડાસા)
નોટિફિકેશન મુજબ, આ ન્યાયાધીશોને નોટિસ પિરિયડના બદલામાં ત્રણ મહિનાના પગાર અને ભથ્થાં ચૂકવવામાં આવશે.
Trending :