ગાંધીનગરઃ ગુજરાત ભાજપને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. દિવાળી પહેલા પ્રદેશ સંગઠનના બે મહામંત્રી અને પ્રદેશ મંત્રીના ખાલી પદો પર નવી નિમણૂંકો કરવામાં આવી શકે છે. ગુજરાત ભાજપમાં બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ પદ પર કોઈ નિમણૂંક કરવામાં નથી. પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામું હતું. જેથી પ્રદેશ ભાજપ મંત્રીનું પદ પણ ખાલી છે. ભાજપ હાઈકમાન્ડ ટૂંક સમયમાં એટલે કે દિવાળી પહેલા જ આ ખાલી પદો પર નિમણૂંક કરી શકે છે.
પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં ભાજપમાં મેરેથોન બેઠકો ચાલી રહી છે. અને પાર્ટીમાં મોટા ફેરફારો થઇ શકે છે અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને આગામી સમયમાં પણ આ પદ પર રાખીને તેમને નવી ટીમ આપવામાં આવેે તેવી શક્યતા દેખાઇ રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો