પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યાં
અત્યાર સુધી ધોરણ 12 પાસ પર લેવાતી હતી પરીક્ષા
હવેથી તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત
ગાંધીનગરઃ તલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવાતા હવે તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ 12 પાસ પર લેવામાં આવતી હતી. એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યું હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જેથી હવે તલાટી બનવા માટે સ્નાતક થવું જરૂરી છે, લાખો વિદ્યાર્થીઓ તલાટીની પરીક્ષામાં બેસવા તૈયારી કરતા હોય છે, પરંતુ આ સરકારી નોકરી માટેની લાયકાત હવે બદલી નાખવામાં આવી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો