(વિજય રૂપાણીનો ફાઇલ ફોટો)
અમદાવાદઃ એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થઇ ગયું છે, અત્યાર સુધી મોતનો આંકડો 140 થયો છે, મુસાફરો બળીને ખાખ થઇ ગયા છે, પ્લેનમાં જોરદાર બ્લાસ્ટ થતા મુસાફરોનાં મોત થઇ ગયા છે, આ ખતરનાક ફોટો અમે તમને બતાવી શકતા નથી.
જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં લાશો જ લાશો દેખાઇ રહી છે, બળેલી લાશોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, પ્લેન જે બિલ્ડીંગમાં પડ્યું છે, ત્યા પણ બધું ખેદાન મેદાન થઇ ગયું છે. પરિવારો આજે પોતાના સ્વજનોને શોધી રહ્યાં છે.
પ્લેનમાં સવાર પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થયું છે, અનેક નેતાઓ અને હસ્તીઓએ તેમના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. રૂપાણી લંડનમાં રહેતી તેમની દિકરીના ઘરે જઇ રહ્યાં હતા અને તેઓ એર ઇન્ડિયાના પ્લેનમાં સવાર હતા.


