ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે હેડક્વાર્ટરના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

02:00 PM Jan 22, 2026 | gujaratpost

ભરૂચઃ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે હેડક્વાર્ટરના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પોલીસતંત્રમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

મૂળ ભાવનગરના તળાજા ગામના બોરલા ગામની રહેવાસી 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારે હેડક્વાર્ટરના રૂમમાં ગઇ રાતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. તે છેલ્લાં 5 વર્ષથી LIB શાખામાં ફરજ બજાવતા હતા. ગઇકાલે તે પોતાના સ્ટાફ સાથે પાણી પૂરી ખાધી હતી સાથે નાસ્તો પણ કર્યો હતો. ત્યાર બાદ રૂમમાં જઇને ગળાફાંસો ખાઇ લીધો હતો. 

ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચીને મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતકના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસ હાલ પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ હાથધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++