લોક સાહિત્યકાર દેવાયત ખવડની ઉત્તરાયણ જેલમાં જ વીતશે- Gujarat Post

12:44 PM Jan 14, 2023 | gujaratpost

રાજકોટઃ મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલાના કેસમાં દેવાયત ખવડ જેલમાં છે. જામીન અરજી માટે તેને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોર્ટ દ્વારા જામીન અરજી પેન્ડિગ રાખવામાં આવી છે. જેથી તેની ઉત્તરાયણ જેલમાં જ વીતશે.રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે.

મયુરસિંહ રાણા પર દેવાયત ખવડે કરેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મીડિયામાં મામલો ચગ્યા બાદ ખવડ અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો.10 દિવસ ફરાર રહ્યાં બાદ તેને સરેન્ડર કર્યું હતું. જે બાદ બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post