વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આપી માહિતી
ટોરેન્ટોઃ ભારત અને કેનેડા સંબંધ ફરી સુધરી રહ્યા હોય તેમ લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા કેનેડા ગયા છે. પીએમ મોદી અને માર્ક કાર્નીની મુલાકાત દરમિયાન ભારત અને કેનેડાએ નવા રાજદૂતોની નિમણૂંક કરવા પર સહમતિ દર્શાવી છે. બંને દેશો ફરીથી સામાન્ય રાજદ્વારી સેવાઓ શરૂ કરવા માટે નવા ઉચ્ચાયુક્ત નિયુક્ત કરશે. આનાથી બંને દેશોના નાગરિકો અને વેપારીઓને ફાયદો થશે.
કેનેડાના વડાપ્રધાનના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કાર્ની અને મોદીએ પરસ્પર સન્માન, કાયદાનું શાસન અને સાર્વભૌમત્વ તથા ક્ષેત્રીય અખંડિતતાના સિદ્ધાંત પ્રત્યે પ્રતિબદ્ધતાના આધારે કેનેડા-ભારત સંબંધોના મહત્વની પુષ્ટિ કરી હતી. બંને નેતાઓએ નાગરિકો અને વ્યવસાયોને નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી નવા ઉચ્ચાયુક્તોને નામાંકિત કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. બંને નેતાઓએ પરસ્પર સન્માન, કાયદાના શાસન અને સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાના સિદ્ધાંત પ્રત્યે પ્રતિબદ્ધતા પર આધારિત કેનેડા-ભારત સંબંધોના મહત્વની પુષ્ટિ કરી હતી.
#WATCH | Kananaskis: On his meeting with PM Modi, Canadian PM Mark Carney says, "...We will move to appoint High Commissioners again..."
— ANI (@ANI) June 18, 2025
"I think today's meeting was important, but I would describe it as foundational, a necessary first step: an exchange of views-frank, open… pic.twitter.com/ONm0JvrwdQ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ વડાપ્રધાન મોદી અને કેનેડિયન વડાપ્રધાન કાર્નીની મુલાકાત વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે બંને દેશોના પ્રમુખ આ મહત્વપૂર્ણ સંબંધમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે સંતુલિત પગલાં લેવા સંમત થયા. આમાંથી પ્રથમ પગલું જે નક્કી થયું તે હતું એકબીજાની રાજધાનીઓમાં શક્ય તેટલી વહેલી તકે ઉચ્ચાયુક્તોની પુનઃસ્થાપના. તેમણે જણાવ્યું કે અન્ય રાજદ્વારી પગલાં પણ સમય જતાં લેવામાં આવશે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વડાપ્રધાન મોદી અને કેનેડિયન વડાપ્રધાન કાર્નીની બેઠક પર કહ્યું કે બંને વડાપ્રધાનોએ વેપાર, લોકો વચ્ચે સંપર્ક અને કનેક્ટિવિટી સંબંધિત ઘણા ક્ષેત્રોમાં વરિષ્ઠ અને કાર્યકારી સ્તરના તંત્ર અને ચર્ચાઓને ફરીથી શરૂ કરવા પર પણ સહમતિ વ્યક્ત કરી. તે બધાનો ઉદ્દેશ્ય સંબંધોને વધુ ગતિ આપવાનો હતો. બંને નેતાઓએ સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ ટેકનોલોજી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, ખાદ્ય સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજો અને સપ્લાય ચેન સંબંધિત ઘણા મુદ્દાઓ પર સંભવિત સહયોગ પર પણ ચર્ચા કરી.