+

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટો ખુલાસો, એર ઇન્ડિયાના વિમાનનું એક એન્જિન માત્ર ત્રણ મહિના પહેલા જ બદલાયું હતું

અમદાવાદઃ અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન અંગે એક ચોંકાવનારી વાત પ્રકાશમાં આવી છે. લગભગ 12 વર્ષ જૂના આ વિમાનના જમણી સાઇડ એન્જિનનું તાજેતરમાં સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્રણ મહિના પહેલા માર્

અમદાવાદઃ અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન અંગે એક ચોંકાવનારી વાત પ્રકાશમાં આવી છે. લગભગ 12 વર્ષ જૂના આ વિમાનના જમણી સાઇડ એન્જિનનું તાજેતરમાં સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્રણ મહિના પહેલા માર્ચ 2025 માં તેને બદલવામાં આવ્યું હતું. અમદાવાદથી લંડન જતું આ વિમાન ટેકઓફ કર્યાના થોડા જ સેકન્ડમાં ક્રેશ થયું હતું અને તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો હતા. આ અકસ્માતમાં એક મુસાફર સિવાય 241 લોકોના મોત થયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે જૂન 2023 માં એર ઇન્ડિયાના આ વિમાન પર વિગતવાર મેંન્ટેનસ તપાસ પણ કરવામાં આવી હતી અને આગામી રાઉન્ડની તપાસ આ વર્ષે ડિસેમ્બરમાં સુનિશ્ચિત કરવામાં આવી હતી. એપ્રિલમાં એર ઇન્ડિયાએ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર માટે વીમા કવચ 750 કરોડ રૂપિયાથી વધારીને 850 કરોડ રૂપિયા કર્યું હતું.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ફ્લાઇટ નંબર AI 171 મેઘાણી નગરમાં એક મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી, જેમાં 241 મુસાફરો સહિત લગભગ 270 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં ભારતીય મૂળનો ફક્ત એક બ્રિટિશ નાગરિક બચી ગયો હતો.

એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ એક મોટો વિસ્ફોટ થયો અને ભયંકર આગ લાગી હતી. અકસ્માત બાદ વિમાનના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, જેના કારણે ડીએનએ મેચિંગ બાદ તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.

અમદાવાદ અકસ્માત પછી DGCA એ એર ઇન્ડિયાના બોઇંગ ડ્રીમલાઇનર વિમાનો માટે માર્ગદર્શિકા જારી કરી છે અને આવા વિમાનોની સઘન તપાસ માટે આદેશો આપવામાં આવ્યા છે. અમદાવાદ અકસ્માત પછી, DGCA એ એર ઇન્ડિયાના બોઇંગ ડ્રીમલાઇનર વિમાનો માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતની તપાસ માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે.

એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયા ડીજીસીએ માર્ગદર્શિકા અનુસાર સલામતી તપાસ પૂર્ણ કરવાની પ્રક્રિયામાં છે. આ તપાસ બોઇંગ 787 કાફલા પર કરવામાં આવી રહી છે, તેઓ ભારત પરત ફરી રહ્યા હોવાથી, ત્યારબાદ તેમને આગામી કામગીરી માટે મંજૂરી આપવામાં આવશે. એર ઇન્ડિયાએ બોઇંગ 787 વિમાનોમાંથી નવ પર આવી નિરીક્ષણ પૂર્ણ કરી દીધું છે અને એરલાઇન DGCA દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદામાં બાકીના 24 વિમાનો માટે આ પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે.

facebook twitter