અમદાવાદઃ પ્લેન ક્રેશ બાદ ગાયબ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું મોત કન્ફર્મ થતા પરિવારમાં માતમ છવાયો છે. DNA, એક્ટિવાનાં એન્જિન-ચેસીસ નંબર, CCTV બાદ કચવાતા મને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે એ મૃતદેહ ફિલ્મમેકરનો છે.
પોલીસને આ કપરી પરિસ્થિતિમાં પણ સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબરના આધારે વાહન ઓળખી નાખ્યો હતો, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે.
અમદાવાદ શહેર ખાતે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશનો બનાવ બન્યો ત્યારે નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટસ ખાતે રહેતા મહેશભાઇ ગીરધરભાઇ કાલાવાડિયા (ઉ.વ- 34) એક્ટિવા લઇને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. ત્યારે તેમના ભાઇ કાર્તિકભાઇએ નરોડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
આ બાબતે ટેક્નિકલ સોર્સના આધારે ગુમ થયેલા મહેશભાઇનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થયો હોવાની વિગતો મળી હતી. પોલીસે પરિવારના સભ્યોને ડીએનએ આપવા સમજાવ્યા હતા. પરિવારનો ડીએનએ મેચ થતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/