(Photo:AFP)
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો આઠમો દિવસ
ગુરુવારે ઇઝરાયલે ઈરાનના ખોંડુબ પરમાણુ રિએક્ટર પર હુમલો કર્યો હતો
તેલઅવીવઃ ઈરાને ઈઝરાયલના બીરશેબા અને આસપાસના શહેરોમાં મિસાઈલો વડે હુમલો કર્યો હતો, જેના કારણે આ શહેરોમાં સાયરન વાગી ઉઠ્યા હતા. સાયરનનો અવાજ સાંભળીને લોકો બંકરોમાં છુપાઈ ગયા હતા. બીરશેબામાં થયેલા મિસાઈલ હુમલામાં ઘણી ગાડીઓમાં આગ લાગી હતી. ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલ બીરશેબામાં એક રહેણાંક એપાર્ટમેન્ટની બહાર પડી હતી. જેના કારણે ત્યાં પાર્ર કરેલી કારોમાં આગ લાગી હતી.
ઈઝરાયલ અને અમેરિકા દ્વારા તહેરાન ખાલી કરવાની ચેતવણી બાદ ઈરાનની રાજધાનીમાંથી લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે. લગભગ એક કરોડની વસ્તીવાળા શહેરથી હજારો લોકો બહાર નીકળવાથી રાજમાર્ગો પર જામની સ્થિતિ છે. તહેરાનના સરકારી કર્મચારી અરશે જણાવ્યું કે, મારા ઘરની બાજુની ઇમારત ઈઝરાયલી હુમલામાં નષ્ટ થઈ ગઈ. ત્રણ બાળકો અને બે મહિલાઓ માર્યા ગયા. નેતન્યાહુ આ રીતે ઈરાનીઓને આઝાદી અપાવવા માંગે છે? તેમને આપણા દેશથી દૂર રહેવું જોઈએ. ઈરાનની મિસાઈલોએ તેલ અવીવના પૂર્વમાં આવેલા રામાત ગેનમાં એક રહેણાંક ઇમારતને પણ નિશાન બનાવી હતી. ઇમારતના એક નિવાસી યાનિવે કહ્યું કે, આ ખૂબ જ ડરામણું હતું. મિસાઈલ હુમલામાં અમારી આખી ઇમારત ધ્રુજી ઉઠી હતી.
છેલ્લા એક સપ્તાહના ઈઝરાયલી હુમલામાં ઈરાનનું ટોચનું સૈન્ય નેતૃત્વ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. તેની પરમાણુ ક્ષમતાઓને પણ મોટું નુકસાન થયું છે. આ દરમિયાન છસોથી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે ઈરાનના હુમલામાં ઈઝરાયલમાં બે ડઝનથી વધુ નાગરિકોના મોત થયા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની વતન વાપસી માટે ભારત સરકારે ઓપરેશન સિંધુ શરૂ કરી દીધું છે. આ દરમિયાન ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને વાપસી માટે વિદેશ મંત્રાલય અને તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે ઈમરજન્સી હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી જાહેર કરીને તેમના પર સંપર્ક કરવા જણાવ્યું છે.
#BREAKING Israeli army says sirens sounded after missiles launched from Iran pic.twitter.com/B5onVX1nfg
— AFP News Agency (@AFP) June 20, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/