+

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલમાં લીકેજ: 4 મહિનામાં 326 કરોડ ગયા પાણીમાં

સ્વ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ કેટલાક લોકોએ એરપોર્ટને તેમના નામ સાથે જોડવાની માંગ કરી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ ટર્મિનલમાં કેનોપી તૂટવાની સાથે દિવાલ ધરાશાયી થઈ જવી જેવી સમસ્યાઓ સામ

સ્વ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ કેટલાક લોકોએ એરપોર્ટને તેમના નામ સાથે જોડવાની માંગ કરી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ ટર્મિનલમાં કેનોપી તૂટવાની સાથે દિવાલ ધરાશાયી થઈ જવી જેવી સમસ્યાઓ સામે આવી હતી

રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વરૂપ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 9 ફેબ્રુઆરી, 2025ના રોજ રૂ. 326 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. સામાન્ય વરસાદમાં પણ અહી અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે છતમાંથી પાણીનો ધોધ પડતા મુસાફરોનો સામાન પલળી ગયો હતો. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા તાબડતોબ રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે ભ્રષ્ટાચારની ચાળી ખાતું હોવાના આક્ષેપો થયા હતા.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાને બે વર્ષ વિતી ગયા હોવા છતાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હજુ સુધી શરૂ થઈ નથી, જ્યારે એક પછી એક અસુવિધાઓના વીડિયો સામે આવી રહ્યા છે. વાઇરલ થયેલી તસવીરોમાં પાણીથી મુસાફરોને પડી રહેલી પારાવાર મુશ્કેલી સ્પષ્ટ દેખાય છે. જોકે, આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સફાળા જાગી ગયા અને તુરંત જ ટર્મિનલમાં જ્યાં જ્યાંથી પાણી ટપકે છે ત્યાં રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી

આ દરમિયાન કેટલાક લોકોએ એરપોર્ટનું નામ બદલીને વિજય રૂપાણી એરપોર્ટ કરવાની પણ માંગ કરી હતી. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter