ભાવનગરઃ બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી અને બજરંગદાસ બાપા સાથે જીવન વિતાવનારા મનજીદાદાનું નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને સાંજે 4 કલાકથી આવતીકાલે બપોરે 3 કલાક સુધી બગદાણા આશ્રમ ખાતે રાખવામાં આવશે. તેમની અંતિમ યાત્રા આવતીકાલે બપોરે 3 કલાકે નીકળશે. મનજીદાદાના નિધનના સમાચાર મળતાં જ અનેક ભક્તોમાં શોકની લાગણી ફરી વળી છે અને તેમના પાર્થિવ દેહના દર્શન માટે રાજ્યના અનેક વિસ્તારોમાંથી લોકો નીકળી રહ્યાં છે.
આજે સાંજે 4 વાગ્યાથી પાર્થિવ દેહના કરી શકાશે દર્શન
રાજ્યના ખૂણે ખૂણામાંથી શ્રદ્ધાળુઓ દર્શને આવી રહ્યાં છે
મનજીદાદાએ પણ તેમનું જીવન સેવામાં વિતાવી દીધું છે, અનેક સેવાકીય કાર્યો સાથે તેઓ જોડાયેલા છે, વર્ષો સુધી તેમને બગદાણામાં આવતા શ્રદ્ધાળુઓને સેવા આપી છે. ત્યારે તેમના નિધનથી લાખો શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. તેમના નિધનથી વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો