ઇઝરાયલી હુમલામાં વધુ એક પરમાણુ વૈજ્ઞાનિકનું મોત, ઈરાને કહ્યું - આવા વાતાવરણમાં વાતચીત શક્ય નથી

04:21 PM Jun 20, 2025 | gujaratpost

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ સામસામે છે. બંને દેશો એકબીજા પર બોમ્બ અને મિસાઈલનો વરસાદ કરી રહ્યા છે. આ દરમિયાન, આજે સવારે ઈરાનની રાજધાની તેહરાનના ગીશા વિસ્તારમાં થયેલા મોટા વિસ્ફોટમાં એક પરમાણુ વૈજ્ઞાનિકનું મોત થયું છે. ઇઝરાયલી મીડિયા કાન ન્યૂઝ અનુસાર, એક ઇઝરાયલી અધિકારીએ દાવો કર્યો છે કે આ હુમલો ઇઝરાયલી સેના IDF (ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ) દ્વારા કરવામાં આવ્યો હતો. 

ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટનો હેતુ ઈરાનના પરમાણુ પ્રોગ્રામ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ વૈજ્ઞાનિકને નિશાન બનાવવાનો હતો અને પ્રારંભિક માહિતી અનુસાર, આ હુમલામાં વૈજ્ઞાનિકનું મોત થયું છે. જોકે, ઈરાની સરકાર દ્વારા આ સંદર્ભમાં હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ આ ઘટનાએ બંને દેશો વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ વાતાવરણમાં વધુ વધારો કર્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ઇઝરાયલી હુમલાઓ અંગે કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે શાંતિનો એકમાત્ર રસ્તો એ છે કે ઇઝરાયલી હુમલાઓને તાત્કાલિક અને બિનશરતી રીતે બંધ કરવામાં આવે. જો ઇઝરાયલ તરફથી હુમલા ચાલુ રહેશે, તો ઈરાનને વધુ કડક જવાબ આપવાની ફરજ પાડવામાં આવશે. જ્યાં સુધી ઇઝરાયલી હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી અમેરિકા કે અન્ય કોઈ દેશ સાથે આ મુદ્દા પર કોઈ વાતચીત થશે નહીં.

Trending :

અબ્બાસ અરાકચીએ કહ્યું કે હાલના સંજોગોમાં અમે કોઈની સાથે, ખાસ કરીને અમેરિકા સાથે વાત કરવા માંગતા નથી. તેના બદલે, અમેરિકા અમારો સંપર્ક કરી રહ્યું છે. અમેરિકાએ ઘણી વખત અને ગંભીર સ્તરે વાતચીતની ઓફર કરી છે, પરંતુ અમે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી ઝાયોનિસ્ટ શાસન (ઇઝરાયલ) હુમલાઓ ચાલુ રાખશે, વાતચીત કે રાજદ્વારીનો કોઈ પ્રશ્ન જ નથી.

અરાકચીએ કહ્યું કે ઈરાન હાલમાં સ્વ-બચાવની સ્થિતિમાં છે અને પોતાનો બચાવ કરવાનો તેનો અધિકાર છે. ઈરાનના મિસાઈલ હુમલાઓનો ઉલ્લેખ કરતા, અરાકચીએ કહ્યું કે અમારા મિસાઈલ હુમલા ફક્ત લશ્કરી લક્ષ્યો પર કેન્દ્રિત છે, નાગરિકો અથવા હોસ્પિટલો જેવા સ્થળો પર નહીં. જો ઈઝરાયલ અમારા આર્થિક લક્ષ્યો પર હુમલો કરશે, તો અમે તેમની આર્થિક સંસ્થાઓને પણ નિશાન બનાવીશું.

ઈરાનના વિદેશ મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે મિસાઈલ ક્ષમતાઓ પર કોઈ વાતચીત થશે નહીં. ઈરાનની મિસાઈલ સિસ્ટમ એક રક્ષણાત્મક શક્તિ છે અને તેનો ઉદ્દેશ્ય કોઈ પર હુમલો કરવાનો નથી. તેમણે અમેરિકાને ઈઝરાયલનો ભાગીદાર અને આક્રમક પ્રવૃત્તિઓમાં સહયોગી ગણાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોનો ઉલ્લેખ કરતા અરાકચીએ કહ્યું કે ટ્રમ્પે પોતે સ્વીકાર્યું છે કે અમે આ કર્યું જે સ્પષ્ટ કરે છે કે અમેરિકા આ ​​હુમલાઓમાં સીધું સંડોવાયેલું છે. ઈરાને યુરોપિયન દેશો સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જ્યાં સુધી ઈઝરાયલના હુમલા બંધ ન થાય ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ વાતચીત શક્ય નથી. ઈરાનને વિશ્વાસ છે કે સમય જતાં આંતરરાષ્ટ્રીય સમુદાય ઇઝરાયલના આક્રમણથી પોતાને દૂર રાખવાનું શરૂ કરશે અને યુદ્ધવિરામની માંગ તીવ્ર બનશે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++