અમરેલીઃ એસીબીએ વધુ એક સફળ ટ્રેપ કરી છે અને 3 લાખ રૂપિયાની રિકવરી કરી છે, જાફરાબાદના મરિન પીએસઆઇ વતી લાંચ લેનારા શખ્સને ઝડપી લીધો છે, આ કેસમાં પીએસઆઇ અને એક કોન્સ્ટેબલ ફરાર છે.
અગાઉ એક શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી થઇ હતી, જેમાં આ કેસને નબળો પાડીને આરોપીને મદદ કરવા ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. પીએસઆઇ આર.એમ.રાધનપુરા અને કોન્સ્ટેબલ આશિષસિંહ ઝાલા દ્વારા લાંચની માંગણી કરાઇ હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. તેમાં આરોપીઓ વતી લાંચ લેનારો ખાનગી વ્યક્તિ આરીફ અલી રવઝાણી એસીબીના સકંજામાં આવી ગયો હતો, એસીબીની ટીમે 3 લાખ રૂપિયા રિકવર કરીને બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
Trending :