અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યૂનર અને થાર વચ્ચે ભયાનક અકસ્માત, 3 લોકોનાં મોત-6 ઘાયલ

10:39 AM Jul 01, 2024 | gujaratpost

બોપલના વકીલ બ્રિજ નજીક જોરદાર અકસ્માત

ત્રણ લોકોનાં મોત, છ લોકો ઘાયલ

અમદાવાદઃ શહેરમાં વધુ એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં વકીલ બ્રિજ નજીક એક ફોર્ચ્યૂનર અને થાર કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો, ત્રણ લોકોના અહીં જ મોત થઇ ગયા છે. 6 ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત બાદ જાણવા મળ્યું કે ફોર્ચ્યૂનરમાં દારૂની હેરાફેરી થઇ રહી હતી અને તેમાંથી દારુનો જથ્થો પકડાયો છે. આ ગાડી વૈષ્ણોદેવી તરફથી આવી રહી હતી.

અકસ્માત બાદ લોકોએ અહીં બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસ કાફલો પણ અહીં આવી પહોંચ્યો હતો. આ થાર ચલાવનાર સંજય કાઠી નામના વ્યક્તિનું મોત થઇ ગયું છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરીને ફોર્ચ્યૂનરના માલિક સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યાં છે અને મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526