Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા

07:29 PM Jun 12, 2025 | gujaratpost

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું

અનેક મુસાફરોનાં મોત થઇ ગયા 

અમદાવાદઃ એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું છે અને તેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી હોવાની આશંકા છે, આ પ્લેનમાં 242 લોકો સવાર હતા, અનેક લોકોનાં મોત થયા છે, ભડથું થયેલા મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં છે.

હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે અનેક મૃતકોનાં પરિવારજનો પણ અહીં પહોંચી રહ્યાં છે, આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઇ રહી હતી અને બે જ મીનિટમાં તે ક્રેશ થઇ ગયું હતુ.