અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો
અમદાવાદઃ અનેક પરિવારો આજે તેમના સ્વજનોને શોધી રહ્યાં છે, અમદાવાદથી લંડન જઇ રહેલું પ્લેન ક્રેશ થઇ ગયું છે, અનેક મુસાફરોનાં મોત થઇ ગયા છે, પ્લેન ક્રેશની ભયાનક તસ્વીરો સામે આવી છે, લોકોનાં મોતથી તેમના પરિવારજનો આઘાતમાં છે, અનેક લોકો હોસ્પિટલ પહોંચ્યાં છે.
એર ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. વધુ માહિતી પૂરી મેળવવા માટે 1800 5691 444 પર તમે કોલ કરી શકો છો
ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર તમે સંપર્ક કરી શકો છો

The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2025

