તાનાશાહ ભાજપે તો હવે હદ કરી નાખી છે, અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યાં ઇસુદાન ગઢવી- Gujarat Post

12:13 PM Mar 22, 2024 | gujaratpost

કેજરીવાલની ધરપકડનો દેશભરમાં આપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યાં છે

સુરતમાં પોલીસે વિરોધ પ્રદર્શન કરતાં આપના નેતાઓની અટકાયત કરી

અમદાવાદઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ગુરુવારે મોડી રાત્રે EDએ અરવિંદ કેજરીવાલની બે કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ બાદ AAP આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ED આજે કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરશે. આ દરમિયાન ગુજરાત આપના પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયો શેર કર્યો છે.

Trending :

વીડિયોમાં ઈસુદાન ગઢવી કહી રહ્યાં છે કે, દેશમાં ભાજપની તાનાશાહી ચરમસીમા પર છે. AAP ના નેતાઓને ED દ્વારા છેલ્લા 1 વર્ષથી ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યાં છે. મનીષ સિસોદીયા હોય કે સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને હવે અરવિંદ કેજરીવાલ. દરેક નેતાને કોઈ પણ પુરાવા વગર જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યાં છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડના પગલે આમ આદમી પાર્ટી સુરત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા 'આપ' નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post