+

ગુજરાત, દિલ્હીના AAPના નેતાઓની ભાજપના નેતાઓ સાથે રાજકીય સાઠગાંઠઃ ઉમેશ મકવાણા

મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એકતરફી છે: ઉમેશ મકવાણા ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં હોવાનો પણ દાવો કર્યો અમદાવાદઃ વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપની મુશ્કેલી ઓ

  • મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એકતરફી છે: ઉમેશ મકવાણા
  • ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં હોવાનો પણ દાવો કર્યો

અમદાવાદઃ વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી.  વિધાનસભા આપના દંડકપદેથી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામુ ધરી દીધુ હતુ. આ ઘટનાની ગણતરીની મિનિટોમાં આપે શિસ્તભંગના પગલાં લઈને ઉમેશ મકવાણાને પક્ષમાં સસ્પેન્ડ કરી દીધા હતાં.હવે બોટાદના ધારાસભ્ય મકવાણાએ આપ સામે મોરચો માંડ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં છે. આ બધોય માત્ર રાજકીય દેખાડો કરે છે. વાસ્તવમાં બધું ભાજપના ઈશારે ચાલે છે. તેમણે એવી ચિમકી ઉચ્ચારી કે, આગામી દિવસોમાં આપના ગુજરાત અને દિલ્હીના નેતાઓનું ભાજપના ક્યા નેતાઓ સાથે રાજકીય સાઠગાંઠ તેના નામ-પુરાવા જાહેર કરીશ.

ઉમેશ મકવાણાએ કહ્યું કે, હું આપમાં રાષ્ટ્રીય નેતા છું. મને પ્રદેશકક્ષાએ સસ્પેન્ડ કરી શકાય નહીં. મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એકતરફી છે. આ જોતાં મે અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો છે. હું તેમની સમક્ષ મારો પક્ષ મૂકીશ. ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનો ધરાર ઈન્કાર કરતાં ઉમેશ મકવાણાએ કહ્યું કે, હું ધારાસભ્યપદેથી ટર્મ પૂર્ણ કરીશ. બોટાદના મતદારોએ મને ધારાસભ્યપદેથી રાજીનામુ આપવા ઈન્કાર કર્યો છે. હવે હું ભાજપ જ નહીં, આપ સામે પણ લડીશ.

આ ઉપરાંત  તેમણે એવો ધડાકો કર્યો કે, ગુજરાત અને દિલ્હીના નેતાઓની ભાજપના નેતાઓ સાથે રાજકીય સાઠગાંઠ છે. કમલમના ઈશારે જ ગુજરાત આપ ચાલી રહ્યુ છે. હું કયા નેતાની કોની સાથે સાઠગાંઠ છે તેના પુરાવા જાહેર કરીશ.  

facebook twitter