પીલીભીતમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર- Gujarat Post

04:37 PM Dec 23, 2024 | gujaratpost

લખનઉઃ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યાં ગયા હતા. ત્રણેય આતંકવાદી ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના હતા. ઘટના સ્થળેથી એક એકે-47 રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી હતી. આ ઓપરેશન પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસે સંયુક્ત રીતે હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટર સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ પુરાનપુર વિસ્તારમાં હરદોઈ શાખા નહેર નજીક થયું હતું.

માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એકે-47 રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી હતી. આ ત્રણેય પંજાબના ગુરદાસપુરમાં એક પોલીસ ચોકી પર હુમલાના સંબંધમાં વોન્ટેડ હતા. પંજાબ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ત્રણેયનું સ્થાન પીલીભીતના પૂરનપુરમાં જોવા મળ્યું હતું. પંજાબ પોલીસે પીલીભીત પોલીસના સહયોગથી સોમવારે વહેલી સવારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ એન્કાઉન્ટર હરદોઈ શાખા નહેર નજીક થયું હતું.

એન્કાઉન્ટરના પગલે આસપાસના ગામડાઓમાં ગભરાટ ફેલાયો હતો. શું થયું તે લોકો સમજી શક્યા ન હતા. અથડામણમાં પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.પોલીસ અધિકારીઓમાં એસપી સતીશ કુમાર, એડિશનલ એસપી સિદ્ધરામપ્પા અને ડીવાયએસપી મંજુનાથનો સમાવેશ થાય છે. 

Trending :

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++