વડોદરાની ઓનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, ત્રણ કામદારોનાં મોત

06:49 PM Jan 31, 2024 | gujaratpost

વડોદરાની ઓનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ

 ત્રણ કામદારોનાં મોતથી પરિવારોમાં માતમ

વડોદરાઃ એનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો છે. જેમાં ત્રણ કામદારોનાં મોત થઇ ગયા છે. જ્યારે 4 કામદારો ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. અન્ય એક વ્યક્તિને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યાં છે.

પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ કામદારોનાં મોતથી પરિવારોમાં માતમ છવાયો છે. કંપનીમાં બ્લાસ્ટની માહિતી મળતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતા.

બ્લાસ્ટનું કારણ સામે આવ્યું નથી, પોલીસ અને ફાયર વિભાગ અત્યારે આ મામલાની તપાસ કરી રહ્યાં છે, જો કંપનીની કોઇ બેદરકારી હશે તો તેના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post