વડોદરાઃ દિવસેને દિવસે આપઘાતના કેસોમાં વધારો થઇ રહ્યો છે. બે દિવસ પહેલાં જ પત્નીના ત્રાસથી પતિએ પુત્રની હત્યા કર્યાં બાદ પોતે ગળેફાંસો ખાઇ લીધો હતો. હવે આવો વધુ એક આત્મહત્યા અને હત્યાનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં આ બનાવ બન્યો છે, પ્રિતેશભાઈએ પહેલા પત્ની અને પુત્રનું ઓશીકાથી મોઢું દબાવીને હત્યા કર્યાં બાદ પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
મૃતક પ્રિતેશભાઈએ આપઘાત કરતા પહેલા દીવાલ પર લખ્યું હતું કે અમે અમારી મરજીથી આપઘાત કરીએ છીએ, તે માટે કોઈ જવાબદાર નથી. સવારે જ્યારે તેમનાં મમ્મીએ આ દ્રશ્ય જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી, પ્રિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેમના પત્ની- પુત્રના મૃતદેહો પલંગ પર પડ્યા હતા. માતાએ કલ્પાંત કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને પોલીસને જાણ કરી હતી. પ્રિતેશભાઈએ જુદી જુદી બેંકોમાંથી લોન લીધી હતી અને દેવું વધી ગયું હતું, દેવું વધી જતાં પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
દર્શનમ ઉપવન ડુપ્લેક્સના મકાન નં- A-3, 102માં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી(ઉં.વ 30) શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર હર્ષિલ અને પત્ની સ્નેહાબેન સાથે રહેતા હતા. આજે સવારે ઘરમાંથી ત્રણેયના મૃતદેહો મળતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ સનસનીખેજ ઘટનાથી તેમના પરિવારના સભ્યો આઘાતમાં ચાલ્યાં ગયા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો