સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે ગેસ ગળતર દુર્ઘટના બની
નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બની ઘટના
શ્વાસ રૂંધાઇ જવાથી ચાર કામદારોનાં મોત
સુરતઃ માંગરોળના મોટા બોરસરામાં આવેલી નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગેસ ગળતરની દુર્ઘટના સામે આવી છે. ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યાં હતા. તે સમયે ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી ગેસની અસર થવાથી થઇ હતી અને તેમના મોત થયા હતા.
કેમિકલ ભરેલુ ડ્રમ ખોલતા નિકળેલા ગેસને કારણે ચાર કામદારોનો શ્વાસ રૂંધાયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળે પહોંચી ગઇ હતી. તમામના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લવાયા હતા.
મૃતકો પૈકી બે કામદારો અંકલેશ્વરના,એક કાપોદ્રાનો અને એક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં ઇમ્તિયાઝ અબ્દુલ શેખ (ઉં.વ-45), અમીન પટેલ (ઉં.વ- 22), અરુણ (ઉ.વ-22), રઘાજી (ઉં.વ-54)નો સમાવેશ થાય છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો