સુરતઃ શહેરમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.એક 32 વર્ષીય પરિણીતાએ પોતાના પતિની હેરાનગતિથી આત્મહત્યા કરી લીધી છે, તેનો એક વીડિયો સામે આવ્યો છે,જેમાં તેને પોતાની વ્યથા કહી છે, શહેરના ઈચ્છાપોરમાં રહેતી આ મહિલાની આત્મહત્યા બાદ પોલીસ તેના ઘરે પહોંચી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
7 વર્ષના લગ્ન જીવનનો અંત
મારો પતિ મને માનસિહ ત્રાસ આપતો હતોઃમૃતકના અંતિમ શબ્દો
ગળે દુપટ્ટો બાંધીને આ મહિલાએ આત્મહત્યા કરી છે. આ બનાવ પછી મહિલાના પિયરવાળા પોલીસ પાસે પહોંચ્યાં છે અને જવાબદાર જમાઇ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. મહિલાના સંબંધીઓનું કહેવું છે કે તેમની દિકરીના લગ્નને 7 વર્ષ થયા હતા અને પહેલા વર્ષ પછી તેમની દિકરીની હેરાનગતિ શરૂ થઇ ગઇ હતી. તેનો પતિ તેને માનસિહ ત્રાસ આપતો હતો અને માર મારતો હતો. હવે આરોપીને કડકકમાં કડક સજા થવી જોઇએ, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો