સુરતઃ અમદાવાદમાં તથ્યકાંડ બાદ સુરતમાં નબીરાએ મોટો અકસ્માત કર્યો છે. બેફામ બનેલા નબીરાએ ત્રણ બાઈક ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. બાઇક ચાલક 20 ફૂટ સુધી ઢસડાયો હતો. સુરતના કાપોદ્રામાં રાત્રે બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કારથી 5 લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
સન્ની પટેલે 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લેતા અફરા તફરી સર્જાઈ હતી. બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યો હતો. અકસ્માતમાં વિવેક, કિશન હીરપરા, ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આરોપીએ BRTS રૂટ પર ઓવરસ્પીડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.
આરોપી કાર ચાલક દારૂના નશામાં ધૂત હતો. રાહદારીઓએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરાંત કાર ચાલકને પણ ઇજા થતાં તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા બેફામ બનેલા નબીરા તથ્ય પટેલે 9 લોકોને કચડી નાખ્યા હતા. 142.5 ની સ્પીડથી કાર ચલાવીને 9 લાકોના જીવ લઇ લીધા હતા. હાલમાં આરોપી તથ્યને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે અને પોલીસ 7 દિવસમાં જ તેની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં દાખલ કરી હતી. પિતા-પુત્ર બંન્નેને જેલને હવાલે કર્યાંં છે. ત્યારે રાજ્યમાં આવા કિસ્સા વધી રહ્યાં છે જે ચિંતાજનક બાબત છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો