સુરતઃ રાજ્યમાં ફરી એક વખત સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે, શહેરના પાલનપુર પાટીયા પાસે આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો છે. જેમાં ઘરના એક મોભીએ બધાને દવા પીવડાવ્યાં બાદ જાતે ગળાફાંસો ખાઇ લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આસપાસના લોકોની પૂછપરછ કરાઇ રહી છે, આ બનાવને પગલે સોસાયટીમાં સનસની ફેલાઇ ગઇ છે.
ગળે ફાંસો ખાનારા વ્યક્તિનું નામ મનિષભાઇ સોલંકી છે, જ્યારે તેમના પત્ની, બે પુત્રીઓ, એક પુત્ર અને મનિષભાઇના માતા-પિતાની લાશ દવા પીધેલી હાલતમાં મળી છે. મનિષભાઇ ફર્નિચરના ધંધા સાથે જોડાયેલા હતા અને તેઓ ઘરમાં કમાનારા એક જ વ્યક્તિ હતા.
વિખેરાયો આખો પરિવાર....
6 લોકોની લાશ દવા પીધેલી હાલતમાં મળી
મનિષભાઇએ ગળાફાંસો ખાઇને કરી આત્મહત્યા
પોલીસે શરૂ કરી આસપાસના લોકોની પૂછપરછ
અડાજણ પોલીસ અહીં પહોંચી તો 6 લોકોના મૃતદેહ નીચે પડેલા હતા અને તેમનું મોત ઝેરી દવા પીવાથી થયું હોવાનુંં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જ્યારે ઘરના મોભીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે, ઘટનાને પગલે અહીં મોટી સંખ્યામાં આસપાસના લોકો આવી ગયા હતા, પોલીસ તેમની પાસેથી આ પરિવારને લગતી માહિતી મેળવી રહી છે, આ પરિવારે આર્થિક સંકડામણને લીધે આવું પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જો કે હજુ સુધી સાચું કારણ સામે આવ્યું નથી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો