બાલ્કનીમાંથી મહિલાનું બેલેન્સ બગડતાં ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું
મોડી રાત્રે લાઇટ જતાં પવન ખાવા બાલ્કનીમાં ગયા હતા
આ ઘટના પલસાણાના તાતીથૈયાની
સુરત: બાલ્કનીમાંથી મહિલાનું બેલેન્સ બગડતાં ત્રીજા માળેથી નીચે પટકાતા તેમનું મોત થયું છે. મોડી રાત્રે લાઇટ જતાં પવન ખાવા તેઓ બાલ્કનીમાં ગયા હતા. પરંતુ અહીં મહિલાનું બેલેન્સ બગડતાં તેઓ નીચે પટકાયા હતા. આ ઘટના પલસાણાના તાતીથૈયાની છે.
પલસાણા તાલુકાના તાતીથૈયામાં મોડી રાત્રે 30 વર્ષીય માયા શિવકરણ કબીર નામના મહિલા લાઇટ ગઇ હોવાથી ગરમી લાગતા બાલ્કનીમાં ગયા હતા અને તેઓ નીચે પટકાયા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ગાડી તરત આવી ગઇ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું. કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ મહિલાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો